કવિશ્રી મનસુખલાલ ઝવેરીની પ્રખ્યાત રચનાની પ્રથમ પંક્તિનો આધાર લઈ બનાવેલી રચના :-
શિખર ઊંચા ને મારગ આકરા હોય તો જામે.
ઉબડ ખાબડ રસ્તે કાંટા કાંકરા હોય તો જામે.
મઘમઘતી ફૂલવાડી ને મંદ પવન ના ખપે,
આસપાસ ઝાડી અને ઝાંખરાં હોય તો જામે.
સાવ હળવાફુલ થઈ જીવવામાં લિજ્જત શી ?
દુ:ખ પણ થોડાઘણાં પાધરાં હોય તો જામે.
જન્મ,મરણ,જરા,વિયોગ દેવને દુર્લભ છે,
દુન્યવી આ રીતના પાથરા હોય તો જામે.
વૈભવી મહેલમાં પણ સુખની દુર્ગંધ છૂટે,
આભ નીચે ધરાના આશરા હોય તો જામે.
- મુકેશ દવે
શિખર ઊંચા ને મારગ આકરા હોય તો જામે.
ઉબડ ખાબડ રસ્તે કાંટા કાંકરા હોય તો જામે.
મઘમઘતી ફૂલવાડી ને મંદ પવન ના ખપે,
આસપાસ ઝાડી અને ઝાંખરાં હોય તો જામે.
સાવ હળવાફુલ થઈ જીવવામાં લિજ્જત શી ?
દુ:ખ પણ થોડાઘણાં પાધરાં હોય તો જામે.
જન્મ,મરણ,જરા,વિયોગ દેવને દુર્લભ છે,
દુન્યવી આ રીતના પાથરા હોય તો જામે.
વૈભવી મહેલમાં પણ સુખની દુર્ગંધ છૂટે,
આભ નીચે ધરાના આશરા હોય તો જામે.
- મુકેશ દવે