રવિવાર, 8 સપ્ટેમ્બર, 2024

ગઝલ - કવનમાં

પ્રણયનું સરોવર છલોછલ નયનમાં.
વહે છે હૃદય ત્યાં સુરીલા કવનમાં.

વિહગ જેમ ઊડે અચાનક વિટપથી,
ગવન ઊડી જાતું એ રીતે  પવનમાં.

અમસ્તી નથી થઈ આ કાયા મનોહર,
તપી'તી એ પ્હેલાં વિરહની અગનમાં.

હતાશામાં ડૂબી ઘણી કેદ પાંખો, 
કદી જે હરખથી મહાલી ગગનમાં.

રડે છે એ ઘરમાં તિરસ્કૃત થઈને,
'હતી શી અધૂરપ અમારાં જતનમાં !'

અરે ! દોસ્તથી જ્યાં પરાજિત થયેલો,
મળી'તી શીતળતા એ મીઠી જલનમાં.

કબર થઈ જવું કે ચિતા થઈ દહાવું,
અમર થઈ ગયાં જે અડ્યા'તાં વચનમાં.
- મુકેશ દવે
જામનગર
તા. ૦૮/૦૯/૨૦૨૪, રવિવાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો