શિખર પર ગયાનો નશો જ્યાં ચડેલો,
અહંના ધકેલાથી ગબડી પડેલો.
દિશાઓથી ભટક્યો પછી એનો ટહુકો,
નશીલો ઈશારો જરા શો અડેલો.
મને ખૂબ મારામાં શોધ્યો પરંતુ,
કશેથી હજુ ના મને હું જડેલો.
જતો જ્યારે આતમ પ્રભુના સમિપે,
પરંતુ ત્યાં એમાંનો માણસ નડેલો.
નથી ઓગળ્યો હું કદી ઝખ્મજળથી,
ઘડો છોને કાચો પરમનો ઘડેલો.
- મુકેશ દવે
જામનગર,
તારીખ : ૦૯/૦૯/૨૦૨૩, સોમવાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો