સોમવાર, 27 જૂન, 2016

વરસાદી વ્યથા (અછાંદસ)

સાચ્ચે જ
જેની બીક હોય તે જ થાય.
એટલે જ હું નહોતો વરસતો.
જેનો ડર હતો
એ જ થઈને રહ્યું.......
મારા વરસવાની સાથે જ

કવિઓ
તૂટી પડ્યા
મારા પર કવિતા લખવા....
પણ શું કરુ ?
મોરના ગહેકાટ માટે મારે વરસવુ પડ્યુ,
ઢોરના વલખાટ માટે મારે વરસવુ પડ્યુ.
- મુકેશ દવે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો