ગુરુવાર, 12 જાન્યુઆરી, 2017

*ડૉ.અનિલ વાળા -એક ભાવ ચિત્ર

ડૉ. અનિલ વાળા -એક ભાવચિત્ર
 *ડૉ.અનિલ વાળા -એક ભાવ ચિત્ર*
- મુકેશ દવે
**************************
અનિલનો સ્વભાવ
વહેવું...... નિરંતર વહેવું.....,
એનું મંદ વહેવું
મંદમંદ સુગંધ દે ભરી
અને
વહે વેગે
તો
લૂગડાંય જાય ઉડાડી........
એ કોઈથી બંધાય ?
એ કોઈથી દબાય ?
એ વળી,
શબ્દોથી કવિઓને ચિતરે
અને
એવા રંગે..... એવા રંગે
કે
રંગબેરંગી પોપડીઓ જામે.
ઉખેડો એ રંગીન પોપડી
તો
મળે કવિની સડેલી ખોપડી.
એ તો
કવિનેય
ઍબ્સર્ડ - ઍબ્સર્ડ કરી મૂકે.
વળી,
વહેતો વહેતો જાય
ગલીપચી કરી;
વિધવાની સુતેલી ઈચ્છા જગાડવા,
ફરી એ ત્યાંથી
કયારે આવે
એની રાહ જોતો બેઠો છું
પંખો કરીને......
- મુકેશ દવે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો