ગુરુવાર, 31 જાન્યુઆરી, 2019

તરહી ગઝલ

જાત માંહી ડૂબી જીવાતું નથી,
આપણાંથી એ જ તો થાતું નથી.*

છે લગન; મંઝિલ લગી પ્હોંચી જવું,
એટલે તો ડગલું લથડાતું નથી.

હોય જો પોતીકું તો હારી જવું,
જીતવાથી એય જીતાતું નથી.

કેમ જગશે સ્નેહનો દીવો અહીં ?
તેલ કોઈ સંપનું પાતું નથી.

એક ખોળો છૂટવાથી શું થશે ?
મા વગરનું બાળપણ ખાતું નથી.
- મુકેશ દવે
અમરેલી
તા.૩૧/૦૧/૨૦૧૯ ગુરુવાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો