મંગળવાર, 18 માર્ચ, 2014

અછાંદસ
...............
મારી શાળામાં
યોજાયો મુશાયરો;
મારી જ પ્રેરણાથી.
હું જ એનો સંચાલક અને શાયર....
સાંભળીને મારી પંક્તિઓ
ભાષા શિક્ષક બોલે "વાહ !!"
પછી
વિદ્યાર્થીઓની તાલીઓનો ગડગડાટ !!!!!!!
આ તાલીઓનો તાલ
મને લઈ ગયો
મારા વિદ્યાર્થીકાળમાં.
૮મું-૯મું ભણતો
હું
સહાધ્યાયીઓ સાથે
બેઠો છું ટાઉનહૉલમાં,
નામાંકિત કવિઓ
વહાવ્યે જાય છે કવિતાઓ,
ને
મારી નજર
તાક્યે રાખે છે
અમારા ભાષા શિક્ષક,
એ બોલે "વાહ !"
અને હું
ટાઉનહૉલ સાથે
તાલીના તાલ મેળવુ...............

"કરેલાં કરમના બદલા........"
પંક્તિ
આજે
ગળે ઉતરી ગઈ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો