હું જોમવંતી ગઝલ ને હું રસભર્યું ગીત છું,
ને અછાંદસમાં પ્રગટતું તાલબદ્ધ સંગીત છું,
જાત સાથે યુદ્ધનો બહોળો અનુભવ છે મને,
સંગ્રામનિષ્કર્ષ એટલો કે- હું હાર ને જીત છું.
ભીતરમાં ઊંડાણ છે; ઘણું ઘણું સમાઈ જશે,
ખચકાટ ના રાખ; હું કાન વગરની ભીંત છું.
તૂટી જશે ને છૂટી જશે આ બંધનો રિવાજના.
જો મનભરીને પ્રગટે કે- હું જીવનની રીત છું.
જગતની ઘટ્માળોમાં ખૂબ વલોવાયો હતો,
એટલે સત્વરૂપ પ્રગટેલું એમ તો નવનીત છું.
- મુકેશ દવે
૩/૬/૧૪
ને અછાંદસમાં પ્રગટતું તાલબદ્ધ સંગીત છું,
જાત સાથે યુદ્ધનો બહોળો અનુભવ છે મને,
સંગ્રામનિષ્કર્ષ એટલો કે- હું હાર ને જીત છું.
ભીતરમાં ઊંડાણ છે; ઘણું ઘણું સમાઈ જશે,
ખચકાટ ના રાખ; હું કાન વગરની ભીંત છું.
તૂટી જશે ને છૂટી જશે આ બંધનો રિવાજના.
જો મનભરીને પ્રગટે કે- હું જીવનની રીત છું.
જગતની ઘટ્માળોમાં ખૂબ વલોવાયો હતો,
એટલે સત્વરૂપ પ્રગટેલું એમ તો નવનીત છું.
- મુકેશ દવે
૩/૬/૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો