ગુરુવાર, 19 જૂન, 2014

મન (ગઝલ)

મન કાં મનમાં ને મનમાં સળવળે ?
વણફળ્યા શમણે શાથી ટળવળે ?

પર્વત આકાંક્ષાના ખડકો; પછી
ભીતર ને ભીતર આખા ખળભળે !

અંતરમાં આ વડવાનળ સળગતો,
ને રોમેરોમ લાવા બળબળે.

બિગડી સો બન જાયે જબ ભી કહીં,
સ્નેહ દીવા નજરોમાં જળહળે.

મારો જીવોજી નક્કી છે નદી,
એથી તો એ હંમેશા ખળખળે
(ગાગા
ગાગા ગાગાગા ગાલગા)
 - મુકેશ દવે.
તા.૧૫/૬/૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો