રવિવાર, 11 એપ્રિલ, 2021

ગઝલ



ઈશ્વર નામે કાયમ કેવી ચાલ્યા કરતી ચળવળ !! 
મંદિર,મસ્જિદ,ગિરજાઘરમાં માણસ સળવળ સળવળ.

ધરણીના એ કંપન અમને વસમા ક્યાંથી લાગે ?
દેહનિચોવ્યા જીવન વચ્ચે હૈયું થાતું ખળભળ. 

કોઈ કુંવારી ચીસો જ્યારે અંધારાને ચીરે, 
મા ધરતીનાં આંસુ થઈને વ્હેતાં ઝરણાં ખળખળ.

જાત વલોવી, તનને તોડી આશાવેલી સીંચી,
તોય અમારે જીવન માટે મરતાં રહેવું પળપળ.

ઘૂળઝમેલા સાથે મૂક્યાં અલમારીમાં પુસ્તક,
અંધારામાં ડૂબ્યાં;  જે ઘર રહેતાં કાયમ ઝળહળ.
- મુકેશ દવે
અમરેલી
તા.૧૦/૦૪/૨૦૨૧
શનિવાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો