(ઘાયલસાહેબના પુણ્યસ્મરણ સાથે)
તને આ નદીના કિનારા ગમે છે,
મને જિંદગીના ધખારા ગમે છે.
ભલેને તું પૂજે છે તુલસી કે પીપળ,
મને તો નિખાલસ જુવારા ગમે છે.
તને ચાંદનીની લહેજત છે વ્હાલી,
મને કાળી રાતે નજારા ગમે છે.
ઘણાં દર્દ ઝીલી આ જીવન સજ્યું છે,
હવે તો ઝખમના પનારા ગમે છે.
તને જે ગમે છે; મને છો ગમે ના,
પરંતુ 'તું' એકે હજારા ગમે છે.
- મુકેશ દવે
અમરેલી
અમરેલી
તા. ૧૫/૦૪/૨૦૨૧, ગુરુવાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો