ગુરુવાર, 18 ફેબ્રુઆરી, 2016

સંજુ વાળાને

ગુજરાતી સાહિત્યના સર્જક, ઉત્તમ ભાવક,
આસ્વાદક અને ગુર્જરી કાવ્યોના રક્ષક
શ્રી સંજુ વાળાસાહેબ ને........
મારી
ભીની લાગણી અર્પણ :-

ગીતોમાં તમારી જમાવટ ગમે છે.
છપ્પામાં તમારી અખાવટ ગમે છે.

હોય શબ્દ શૂરો ને ભાષા છે બળકટ,
એમાં ઊર્મિઓની મિલાવટ ગમે છે.

દૂહા છંદ ગીતો ને લખો ગઝલ વા,
કવિતા પ્રતિની એ રખાવટ ગમે છે.

ભારોભાર ભજનો હૃદયમાં ભર્યા છે,
છતાં અનુગુર્જરીની સજાવટ ગમે છે.

પહોંચ ઊંચે તોય ધરા પર પગ છે,
શીખવતા જવાની એ ફાવટ ગમે છે.
- મુકેશ દવે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો