ગુરુવાર, 18 ફેબ્રુઆરી, 2016

સજીવન દિન (અછાંદસ)

મારા તપથી
પ્રસન્ન થયા ભગવાન;
ને
આપ્યું સંજીવની જળ,
તથાસ્તુમુદ્રા સાથે ઉવાચ્યા વચન..
"તું છાંટીશ જેના પર જળ;
થશે તુરત સજીવન."
૩૦મી જાન્યુઆરી ને ૧૧.૧૦નો સમય.
હતી મોકાની પળ,
ફરીથી થાય ગાંધી સજીવન
તો
નવા ઈતિહાસને મળે જીવન.
ને
મેં
જળ છંટ્યું
ચોકમાં બાવલારૂપે બેસાડેલા ગાંધી પર.....
ગાંધી
સજીવન થઈ થયા ઊભા
લાકડીનો કર્યો ઘા.....
અને બોલ્યા-
"લાવ બંદૂક............"
નવો ઇતિહાસ
નિર્વાણદિન
નહીં
સજીવન દિન....
- મુકેશ દવે

(ઘણાં વરસ પહેલા સાંભળેલા હાસ્ય લેખક શ્રી વિનોદ ભટ્ટના વક્તવ્યથી પ્રેરિત)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો