હરણ જેમ દોડ્યા કરે રણ વચાળે,
ને મન એમ દોડે છે સ્મરણ વચાળે.
આ જીવનને આકાર ત્યારે મળેલો,
ટિચાયેલ એરણ અને ઘણ વચાળે.
પ્રણયના ત્રિકોણે મળે કેન્દ્રબિંદુ,
તો પીસાય એકાદ; બે જણ વચાળે.
પલાંઠી લગાવી છતાં પણ પ્રભુ હું,
ના બેસી શક્યો મીઠી આ ખણ વચાળે.
જનમ ને મરણની વચાળેનું જીવન,
નજરમાં તર્યું આખરી ક્ષણ વચાળે.
- મુકેશ દવે
મૂળ - અમરેલી તા.૨૮/૦૩/૨૦૧૪
સુધારો - પાંધ્રો તા.૩૦/૦૯/૨૦૨૧, ગુરુવાર
ને મન એમ દોડે છે સ્મરણ વચાળે.
આ જીવનને આકાર ત્યારે મળેલો,
ટિચાયેલ એરણ અને ઘણ વચાળે.
પ્રણયના ત્રિકોણે મળે કેન્દ્રબિંદુ,
તો પીસાય એકાદ; બે જણ વચાળે.
પલાંઠી લગાવી છતાં પણ પ્રભુ હું,
ના બેસી શક્યો મીઠી આ ખણ વચાળે.
જનમ ને મરણની વચાળેનું જીવન,
નજરમાં તર્યું આખરી ક્ષણ વચાળે.
- મુકેશ દવે
મૂળ - અમરેલી તા.૨૮/૦૩/૨૦૧૪
સુધારો - પાંધ્રો તા.૩૦/૦૯/૨૦૨૧, ગુરુવાર
લગાગા લગાગા લગાગા લગાગા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો