મંગળવાર, 2 નવેમ્બર, 2021

ગઝલ - સ્મરણ વચાળે

 હરણ જેમ દોડ્યા કરે રણ વચાળે,
ને મન એમ દોડે છે સ્મરણ વચાળે.

આ જીવનને આકાર ત્યારે મળેલો,
ટિચાયેલ એરણ અને ઘણ વચાળે.

પ્રણયના ત્રિકોણે મળે કેન્દ્રબિંદુ,
તો  પીસાય એકાદ; બે જણ વચાળે.

પલાંઠી લગાવી છતાં પણ પ્રભુ હું,
ના બેસી શક્યો મીઠી આ ખણ વચાળે.

જનમ ને મરણની વચાળેનું જીવન,
નજરમાં તર્યું આખરી ક્ષણ વચાળે.
- મુકેશ દવે
મૂળ - અમરેલી તા.૨૮/૦૩/૨૦૧૪
સુધારો - પાંધ્રો તા.૩૦/૦૯/૨૦૨૧, ગુરુવાર

લગાગા લગાગા લગાગા લગાગા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો