બુધવાર, 3 નવેમ્બર, 2021

ગઝલ -- જો લાગે

 જો કણેકણમાં સદાયે રામ લાગે,
ઝૂંપડી પણ મોટું તીરથધામ લાગે.

એક મનસૂબો અમે રોપી જવાના,
આજ વાવેલું કદી તો કામ લાગે !

જે હથેળીમાં સતત ઘૂંટ્યા કરેલું,
કો' સમે એ પણ તિરસ્કૃત નામ લાગે.

ચાહનારા આંખમાં તો સ્નેહ દેખે,
મયકશોને એ છલકતો જામ લાગે.

વાંસળી રાધાપણું ત્યારે જ રેલે,
ફૂંક એમાં પૂરનારો શ્યામ લાગે.
- મુકેશ દવે
પાંધ્રો, તા. ૧૫/૧૦/૨૦૨૧ , ગુરુવાર

ગાલગાગા ગાલગાગા ગાલગાગા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો