જો કણેકણમાં સદાયે રામ લાગે,
ઝૂંપડી પણ મોટું તીરથધામ લાગે.
એક મનસૂબો અમે રોપી જવાના,
આજ વાવેલું કદી તો કામ લાગે !
જે હથેળીમાં સતત ઘૂંટ્યા કરેલું,
કો' સમે એ પણ તિરસ્કૃત નામ લાગે.
ચાહનારા આંખમાં તો સ્નેહ દેખે,
મયકશોને એ છલકતો જામ લાગે.
વાંસળી રાધાપણું ત્યારે જ રેલે,
ફૂંક એમાં પૂરનારો શ્યામ લાગે.
- મુકેશ દવે
પાંધ્રો, તા. ૧૫/૧૦/૨૦૨૧ , ગુરુવાર
ઝૂંપડી પણ મોટું તીરથધામ લાગે.
એક મનસૂબો અમે રોપી જવાના,
આજ વાવેલું કદી તો કામ લાગે !
જે હથેળીમાં સતત ઘૂંટ્યા કરેલું,
કો' સમે એ પણ તિરસ્કૃત નામ લાગે.
ચાહનારા આંખમાં તો સ્નેહ દેખે,
મયકશોને એ છલકતો જામ લાગે.
વાંસળી રાધાપણું ત્યારે જ રેલે,
ફૂંક એમાં પૂરનારો શ્યામ લાગે.
- મુકેશ દવે
પાંધ્રો, તા. ૧૫/૧૦/૨૦૨૧ , ગુરુવાર
ગાલગાગા ગાલગાગા ગાલગાગા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો