છાનોછાનો તારો દીદાર કરી લીધો,
ધર્માસન હેઠળ ઝાકમઝોળ છુપાવીને,
એ રીતે શ્રદ્ધાનો વેપાર કરી લીધો.
આ ગ્રંથો તો પૂરા અમને પચતા ન્હોતા,
માટે તારા નામે પોકાર કરી લીધો.
એકે જગ્યા ક્યાં બાકી છે સજવા માટે !
અંગેઅંગે ઝખ્મોનો શણગાર કરી લીધો.
આખું જીવન ગયું એળે; પામ્યા નહીં કશુંએ,
અફસોસ અમે એનો પારાવાર કરી લીધો.
- મુકેશ દવે
મૂળ : અમરેલી, તા.૦૩/૦૧/૨૦૧૩
સુધારો : પાંધ્રો, તા.૦૨/૧૦/૨૦૨૧, શનિવાર
ગા-૧૨
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો