શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017

અમર થવાના
હવાતીયા મારતી ધર્મશાળાઓ
ફક્ત ચોડ્યા કરે છે પોતાના નામ.

બસસ્ટોપના
બાકડા,દીવાલો અને જાજરૂ
ધુળેટી રમે છે પાનની પિચકારીથી.

દોડધામ કરતા
વાહનો,ઓફિસો અને કોલેજો
હડતાલ પાડે છે તૂટી જઈ, સળગી જઈ.

ખાઉધરા
ભ્રષ્ટાચારી ગોડાઉનો
ભરે રાખે છે પોતાના ફૂલેલા પેટ.

નિરાશ થયેલ
કૂવા,તળાવ અને રેલ્વેલાઇનો
ક્યારેક આપઘાત કરી લે છે.

અને બિચારાં
આપણે - માણસ !
ક્યાં રોકી શકીએ છીએ આ બધાને ?
- મુકેશ દવે(અમરેલી)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો