નિજાનંદી કવિતા
....................
જ્યારે કોઈ
કવિતા રજુ કરવા
કોઈ ન બોલાવે મુશાયરામાં,
સામયિકના તંત્રી કે સંપાદક
સાથે બિડેલા કવરમાં
સાભાર પરત કરે કવિતા,
અરે ! મિત્રોય
દૂર ભાગવા લાગે
હાથમાં કાગળ જોઈને ,
છતાં
નકટા થઈને
વહાવીએ શબ્દસરીતા
તે જ...... તે...જ..
નિજાનંદ કવિતા.
મુકેશ દવે
૧૫/૨/૧૪
....................
જ્યારે કોઈ
કવિતા રજુ કરવા
કોઈ ન બોલાવે મુશાયરામાં,
સામયિકના તંત્રી કે સંપાદક
સાથે બિડેલા કવરમાં
સાભાર પરત કરે કવિતા,
અરે ! મિત્રોય
દૂર ભાગવા લાગે
હાથમાં કાગળ જોઈને ,
છતાં
નકટા થઈને
વહાવીએ શબ્દસરીતા
તે જ...... તે...જ..
નિજાનંદ કવિતા.
મુકેશ દવે
૧૫/૨/૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો