શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017

નિજાનંદી કવિતા
....................
જ્યારે કોઈ 
કવિતા રજુ કરવા
કોઈ ન બોલાવે મુશાયરામાં,

સામયિકના તંત્રી કે સંપાદક
સાથે બિડેલા કવરમાં 
સાભાર પરત કરે કવિતા,
અરે ! મિત્રોય
દૂર ભાગવા લાગે
હાથમાં કાગળ જોઈને ,

છતાં
નકટા થઈને
વહાવીએ શબ્દસરીતા
તે જ...... તે...જ..
નિજાનંદ  કવિતા.
મુકેશ દવે
૧૫/૨/૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો