શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017

Facebook સંજીવની (અછાંદસ)

( "લઈને.... અગિયારમી દિશા"ના ૧૧ કવિઓએ પોતાના આત્મવૃતાંતમાં કંઈક મારા જેવી આ અનુભૂતિ વ્યક્ત કરી છે..... તેમને સાદર અર્પણ)

સંસારના
શક્તિબાણથી
મૂર્છાગ્રસ્ત થયેલા
કવિને
વેંઢારતો
હું
ભટકતો રહ્યો
છેલ્લા પચ્ચીસ વર્ષથી.........
મૂર્છામાંથી બહાર લાવે
તેવા
હનુમાનજીની શોધમાં.......

અચાનક પ્રગટી
અનેક
કવિઓ મિશ્રિત
સંજીવની
Facebook
થઈને........
એની સુગંધમાત્રથી
કવિ
થવા લાગ્યો.
જાગૃત......

છતાં પણ
ઘાતક શક્તિ
એની અસર
એમ જલ્દી
કેમ છોડે !!!

કવિને
મૂર્છિત કરી દે
છે
વારંવાર...
અને
હું
તેને
Facebook સંજીવની
ચખાડી દઉ....

- મુકેશ દવે (અમરેલી),૪/૫/૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો