શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017

અજન્મા કવિતાની પીડા- ગીત

કાં મને ના રોજ કવિતા પ્રસવે ?
અંદર અંદર કવિતા જેવું
                   જીણુંજીણું ફરકે,
ઊન્ડેઊન્ડે એવું સ્પંદન
                 ભીનુંભીનું અડકે,
 વેણુની આ અણકથ પીડા;
                  રુંવેરુંવે પજવે,
 તોય મને ના રોજ કવિતા પ્રસવે.

કાં તો મારૂ મન છે બંજર;
              કેમે ફણગો ફૂટે ?
વાંઝણનાર સમી આંગળને;
                લોહીની ટશરો છૂટે,
કલ્પન મારાં ખાલી ખોખાં;
                કવિપણાને લજવે,
એમ મને ના રોજ કવિતા પ્રસવે
- મુકેશ દવે
તા.૨૦/૧/૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો