કાં મને ના રોજ કવિતા પ્રસવે ?
અંદર અંદર કવિતા જેવું
જીણુંજીણું ફરકે,
ઊન્ડેઊન્ડે એવું સ્પંદન
ભીનુંભીનું અડકે,
વેણુની આ અણકથ પીડા;
રુંવેરુંવે પજવે,
તોય મને ના રોજ કવિતા પ્રસવે.
કાં તો મારૂ મન છે બંજર;
કેમે ફણગો ફૂટે ?
વાંઝણનાર સમી આંગળને;
લોહીની ટશરો છૂટે,
કલ્પન મારાં ખાલી ખોખાં;
કવિપણાને લજવે,
એમ મને ના રોજ કવિતા પ્રસવે
- મુકેશ દવે
તા.૨૦/૧/૧૪
અંદર અંદર કવિતા જેવું
જીણુંજીણું ફરકે,
ઊન્ડેઊન્ડે એવું સ્પંદન
ભીનુંભીનું અડકે,
વેણુની આ અણકથ પીડા;
રુંવેરુંવે પજવે,
તોય મને ના રોજ કવિતા પ્રસવે.
કાં તો મારૂ મન છે બંજર;
કેમે ફણગો ફૂટે ?
વાંઝણનાર સમી આંગળને;
લોહીની ટશરો છૂટે,
કલ્પન મારાં ખાલી ખોખાં;
કવિપણાને લજવે,
એમ મને ના રોજ કવિતા પ્રસવે
- મુકેશ દવે
તા.૨૦/૧/૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો