વાતમાંથી વાત નીકળે
એમ જો આઘાત નીકળે.
કોઈ ખૂણો ડૂસકાં ભરે
આંખમાંથી રાત નીકળે.
શબ્દને ફોલી જુઓ જરી,
આખી કવિની નાત નીકળે.
સૌ બિબાઢાળ મળે અહીં,
કોઈ નોખી ભાત નીકળે.
સૌ જનાજો કેમ તાકતા !
જાણે કે બારાત નીકળે.
- મુકેશ દવે
૫/૩/૧૩
એમ જો આઘાત નીકળે.
કોઈ ખૂણો ડૂસકાં ભરે
આંખમાંથી રાત નીકળે.
શબ્દને ફોલી જુઓ જરી,
આખી કવિની નાત નીકળે.
સૌ બિબાઢાળ મળે અહીં,
કોઈ નોખી ભાત નીકળે.
સૌ જનાજો કેમ તાકતા !
જાણે કે બારાત નીકળે.
- મુકેશ દવે
૫/૩/૧૩
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો