શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017

અછાંદસ - શ્રાવણારંભે

હે ભોળાનાથ !
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ.

આજથી એક માસ સુધી
અમે માનવો ભક્તિના સમરાં કાઢી
તમારે મંદિરીયે ધસી જવાના.

નમ:શિવાય અને ઘંટારવના નાદથી શોર બકોર કરવાના.

બિલ્વપત્ર અને પુષ્પોના ઢગ નીચે તમને ઢાંકી દેવાના.

દૂધ અને જલની ધારામાં મૂંઝવી દેવાના.

મંદિરે ને મેળે ગંદકીના ગંજ ખડકવાના.
શું તમે આ બધું સહી શકવાના ???
- મુકેશ દવે
૨૮/૭/૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો