શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017

અછાંદસ -વત્સલમૂર્તિ

જ્યારે
ભૂખથી રડતાં
પોતાનાં બાળકને
ખોળામાં લઈ
પછી

બાળક અને પોતાની આબરુને
સાડીના પાલવ વડે ઢાંકીને
વાત્સલ્ય નીતરતી ઢળેલી આંખો વડે
અમૃતપાનથી તૃપ્ત થતાં બાળકને
નિહાળી રહેલ
એ માતા
(કુરૂપમાં કુરૂપ સ્ત્રી પણ)
દુનિયાની સૌથી સુંદર સ્ત્રી હોય છે
ત્યારે

સૌંદર્યવતિ વત્સલમૂર્તિને
હું મનોમન દંડવત કરી લઉ છું.
- મુકેશ દવે

તા.૨૨/૦૮/૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો