શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017

પોથી માહ્યલાં પંડિત નીકળ્યા,
મૂર્તિ થયાને ખંડિત નીકળ્યા.

વિશ્વાસ મૂકીને સૂઈ ગયા'તા,
એ રખોપિયા ભયભીત નીકળ્યા.

દર્દ બધાયે દીલમાં દબાવી,
સૌ મુખ હાસ્યથી મંડિત નીકળ્યા.

લોહીઝાણ હૃદયમાં ન્હોર મારતા,
દુશ્મન નહિ પણ મીત નીકળ્યા.
- મુકેશ દવે

૧/૮/૧૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો