શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017

મારી પૂર્વે
મૂર્ધન્ય વડીલ કવિશ્રીઓ છે.
જેમણે શબ્દને સાધ્યો છે,
શબ્દને બાંધ્યો છે,
શબ્દને પાકટ બનાવ્યો છે
તેથી જ
તેમની મરજી મુજબ જ
શબ્દનું અર્થ-ભાવ પ્રગટ્ય થાય છે.
અને મારી ઉત્તરે
તરવરતા યુવાકવિઓ છે.
જેમણે શબ્દને પડકાર્યો છે,
તેમાં તરવરાટ ભર્યો છે.
તેથી જ...
શબ્દ તેના મૂળ અર્થને છોડી
ક્યાંય આગળ નીકળી ગયો છે.
આ બંને વચ્ચે
હું
અધકચરો બેઠો છું
નથી બારીક થઈ ગળે ઉતરી શકતો.
બસ...
પાનમાં ચવાયેલ સોપારી જેમ જ
થૂંકાયા કરું છુ.
બસ હાંશ એટલી કે,
આમાંનો હું કંઈ એકલો જ નથી.
--મુકેશ દવે (અમરેલી)

૨૪/૧૨/૨૦૧૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો